વાવ પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું ભવ્ય આયોજન
તારીખ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ વાવ પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મેળામાં ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ વાનગીઓનાં સ્ટોલ લગાવ્યા હતા.
મેળાનું મુખ્ય આકર્ષણ - વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલી વાનગીઓ આ મેળાનું વિશેષ આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ હતા. તેમાં પાણીપૂરી, ગુલાબજાંબુ, ભેળ, ખમણ, ઈડલી, ઢોકળાં, બટાટાવડા, દાબેલી, ઉંબાડિયું, સેન્ડવિચ,અને છાશ જેવી અનેક વાનગીઓનો સમાવેશ કરાયો. વિદ્યાર્થીઓએ સ્વયં સ્ટોલ સંભાળ્યા અને ખરીદદાર તરીકે માતા-પિતા, શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું.
વિદ્યાર્થીઓમાં વિકાસ થતો મહત્વનું પાસુ આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ ગુણો અને કૌશલ્યનો વિકાસ થાય છે. આ મેળા દ્વારા બાળકોમાં વ્યવસાયિક કૌશલ્ય, ગણિત અને ગણતરીની સમજ, વાણીનો વિકાસ, ટીમ વર્ક, સંબંધો નિર્માણ, સ્વાવલંબન, નિર્ણય લેવા અને વ્યવસ્થાપન કૌશલ્ય જેવા અનેક મહત્વપૂર્ણ લક્ષણો વિકસે છે.
મેળાના અનુભવો અને વિધાર્થીઓની ઉત્સુકતા વિદ્યાર્થીઓમાં મેળા અંગે અતુલ્ય ઉત્સાહ જોવા મળ્યો. પોતપોતાના હસ્તકૌશલ્ય અને રસોઈના ગુણોને વધારવા માટે તેઓ ખાસ તૈયારીઓ કરી રહ્યા હતા. વાલીઓએ પણ આ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક સ્વાગત આપ્યું અને બાળકોની મહેનતને બિરદાવી.
શાળાના શિક્ષકો અને વાલીઓની પ્રતિક્રિયા શાળાના શિક્ષકશ્રીઓએ જણાવ્યું કે, "આવું મેળાનું આયોજન બાળકની અંદરના આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે અને તેમને ભવિષ્ય માટે તૈયાર કરે છે." વાલીઓએ પણ બાળકોના પ્રદર્શન અને ઉત્સાહને વખાણ્યું.
આવા મેળાઓ દ્વારા બાળકોને નવું શીખવા મળે છે, અને તેઓ માટે શાળા જીવન વધુ રસપ્રદ બની રહે છે.
0 Comments