નારણપોર પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો.

તારીખ :૦૬-૦૯-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્યશ્રી દિવ્યેશકુમાર ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી પર્વ અંતર્ગત દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમમાં ભાગ લીધેલ બાળકો ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. સવારથી જ મટકી ફોડ કાર્યક્રમ નિહાળવા બાળકોમાં આતુરતાથી ઉત્સાહ  જોવાતી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના તમામ સભ્યોએ સહયોગ રહ્યો હતો.